
કેટલાક કિસ્સાઓમાં સમય બાદ કરવા બાબત
(૧) બાધ માટેની મુદત ગણતી વખતે જે સમય દરમ્યાન કોઇ વ્યકિત અવલ કોટૅમાં અથવા અપીલ કોટૅમાં કે ફેર તપાસ કે ફેર તપાસ કરનાર કોટૅમાં ગુનેગાર સામે યોગ્ય ખંતથી બીજા ફોજદારી કામમાં રોકાયેલ હોય તે સમય બાદ કરવામાં આવશે
પરંતુ તે ફોજદારી કામ તેની તે હકીકતને લગતુ હોય અને તે એવી કોટૅમાં શુધ્ધબુધ્ધિથી હાથ ધરવામાં આવેલ હોય કે જે તે કોટૅ હકુમતની ખામી અથવા તેના જેવા પ્રકારના બીજા કારણે તે ચલાવી શકતી ન હોય તે સિવાય એવી રીતે સમય બાદ કરી શકશે નહી. (૨) મનાઇહુકમ કે કોઇ હુકમ દ્રારા ગુના સબંધી ફોજદારી કામ શરૂ કરવાનુ સ્થગિત કરવામાં આવેલ હોય ત્યારે બાધ માટેની મુદત ગણતી વખતે તે મનાઇહુકમ કે હુકમનો અમલ જે મુદત દરમ્યાન ચાલુ હોય તે મુદત જે દિવસે તે કાઢવામાં કે કરવામાં આવેલ હોય તે દિવસે અને જે દિવસે તે પાછો ખેંચી લેવામાં આવેલ હોય તે દિવસ બાદ કરવામાં આવશે
(૩) ગુનાના ફોજદારી કામ અંગે નોટીશ આપવામાં આવેલ હોય અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ પણ કાયદા હેઠળ ગુનાનુ ફોજદારી કામ શરૂ કરવા માટે સરકારની કે બીજા કોઇ સતાધિકારીની અગાઉથી સંમતિ કે મંજુરી મેળવવાનું જરૂરી હોય ત્યારે બાધ માટેની મુદત ગણતી વખતે યથાપ્રસંગ તે નોટીશની મુદત અથવા તે સંમતિ કે મંજુરી મેળવવા માટેનો જરૂરી સમય બાદ કરવામાં આવશે
સ્પષ્ટીકરણ:- સરકારની કે બીજા કોઇ સતાધિકારીની સંમતિ કે મંજુરી મેળવવા માટેનો જરૂરી સમય ગણતી વખતે જે તારીખે સંમતિ કે મંજુરી મેળવવા માટે અરજી કરવામાં આવેલ હોય તે તારીખ અને સરકાર કે બીજા સતાધિકારીનો હુકમ મળ્યાની તારીખ એ બંને બાદ કરવામાં આવશે
(૪) બાધ માટેની મુદત ગણતી વખતે નીચેનો સમય બાદ કરવામાં આવશે (ક) ગુનેગાર ભારતમાંથી અથવા કેન્દ્ર સરકારના શાસન હેઠળના ભારત બહારના કોઇ પણ પ્રદેશમાંથી ગેરહાજર હોય તે સમય અથવા (ખ) ગુનેગાર નાસી જઇને અથવા પોતાને છુપાવી રાખીને ધરપકડ ટાળેલ હોય તે સમય
Copyright©2023 - HelpLaw